ધોળકા શહેરમાં ગોવાળિયા વાસ વસ્તી દ્વારા વિરાટ હિન્દુ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું . આ સંમેલનની શરૂઆત મારુતિ હવન થી કરવામાં આવી આ કાર્યક્રમમાં ગોવાળિયા વાસ વસ્તી ના રહીશોએ મોટી સંખ્યામાં ભાગ લીધો આ સંમેલનમાં પરમ પૂજ્ય શંકર ગીરીબાપુ રામદેવપીર મંદિર મુજ પરના મહંત તથા લંબે હનુમાન ના

મહંત શ્રી કાળીદાસ મહારાજ એ આશીર્વાદ વચન પાઠવ્યા કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સામાજિક સમ રસ્તા સંયોજક સૌરાષ્ટ્ર પ્રાંત સહ સંચાલક શ્રી મહેન્દ્રભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહી રાષ્ટ્રીય સંઘ દ્વારા ચાલતી સમાજ સેવાની વિવિધ ગતિવિધિ ની ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી તેઓએ વર્તમાન સમયમાં સામાજિક સમરસતા અતિ આવશ્યક છે તેના પર ભાર મૂકવામાં આવ્યો તદુપરાંત સામૂહિક હનુમાન ચાલીસા નું પઠન કરવામાં આવ્યું.આ રીતે ગોવાળિયા વાસ વસ્તી દ્વારા એક ભવ્યથી ભવ્ય વિરાટ હિન્દુ સંમેલન કરવામાં આવ્યું સમગ્ર સંમેલનનું સંચાલન ગોવાળિયા વાસ વસ્તી ના કોટા અધ્યક્ષ શ્રી સુરેશભાઈ વૈષ્ણવ કર્યું






