પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય અમદાવાદ ખાતે તારીખ 12 ફેબ્રુઆરી 2026 ના રોજ શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રાયોજિત ફૂટબોલ ફોર સ્કૂલ કાર્યક્રમ શાળાના મેદાનમાં રીતે ઉજવવામાં આવ્યું જેમાં અસલાલી ડીવાયએસપી શ્રીમતી અંકિતા મિશ્રા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાલયના વિદ્યાર્થીઓનું ફૂટબોલ સ્પર્ધા યોજાઈ હતી કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રીમતી અંકિતા મિશ્રા(IPS)એ વિદ્યાર્થીઓને

સંબોધિત કરીને કહ્યું કે, “ખેલ અને ભણતરમાં સંતુલન જાળવવું અને રમતગમતમાં પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ. સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન વસે છે.” આ પ્રસંગે શાળાના પ્રભારી પ્રાચાર્ય શ્રી અંબાલાલ ચૌધરી એ શાળામાં પધારેલ બધા અતિથિઓનો સ્વાગત કર્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાલયના શિક્ષકો તથા અમદાવાદ જિલ્લાની વિભિન્ન શાળાઓમાંથી પધારેલ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે શ્રીમતી અંકિતા મિશ્રા(IPS) દ્વારા વિભિન્ન શાળાના પ્રતિનિધિઓને ફૂટબોલ નું વિતરણ કરવામાં આવ્યું હતું
રિપોર્ટર દિનેશ ઠાકોર






